હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ. આમ કરવાથી કોઈપણ કાર્ય સરળતાથી અને કોઈપણ મુશ્કેલી વિના પૂર્ણ થઈ જાય છે. આ જ કારણ છે કે ભગવાન ગણેશને વિઘ્ન હર્તા પણ કહેવામાં આવે છે. ગણપતિના જન્મની કથા પણ ખૂબ જ રોમાંચક અને અનોખી છે. તેમના જન્મ વિશે બે વાર્તાઓ પ્રચલિત છે. બધા જાણે છે કે ગણપતિનું ધડ તેમના શરીરથી અલગ થઈ ગયું હતું. જે બાદ હાથીનું માથું કાપીને તેમના ધડ સાથે જોડી દેવામાં આવ્યું હતું. હવે સવાલ એ થાય છે કે ગણપતિનું અસલી મસ્તક ક્યાં છે?

where Ganesha’s severed head is hidden?
ભારત અને વિદેશમાં ભગવાન ગણેશના તમામ મંદિરોમાં, દરેક મૂર્તિના ધડ સાથે હાથીનું માથું જોડાયેલું છે. આટલું જ નહીં તેના કોઈપણ ફોટોગ્રાફ, કેલેન્ડર કે પેઈન્ટિંગ્સ પણ સમાન છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભગવાન ગણેશનું અસલી મસ્તક એક ગુફામાં છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે ભગવાન ગણેશનું માથું એક ગુફામાં રાખ્યું હતું જેને તેમણે તેમના શરીરથી અલગ કર્યું હતું. આ ગુફા પાતાલ ભુવનેશ્વર તરીકે ઓળખાય છે. આ ગુફામાં સ્થાપિત ભગવાન ગણેશની મૂર્તિને આદિ ગણેશ કહેવામાં આવે છે. માન્યતા અનુસાર આ ગુફા આદિશંકરાચાર્ય દ્વારા કળિયુગમાં મળી હતી
Leave a Reply